
અમદાવાદ : નાણામંત્રી નિર્મલા સીતારામનના કેન્દ્રીય બજેટમાં સેકન્ડરી માર્કેટથી ખરીદેલા બોન્ડના કરવેરા વ્યવહારમાં નોંધપાત્ર ફેરફારનો પ્રસ્તાવ મૂક્યા પછી સોવરિન ગોલ્ડ બોન્ડ (એસજીબી) રોકાણકારોમાં ચિંતા ફેલાઈ ગઈ છે. આ પગલાથી રોકાણકારોના એક વર્ગ માટે એસજીબીની સૌથી આકર્ષક વિશેષતાઓમાંની એક – પરિપક્વતા પર મૂડી લાભ કર મુક્તિમાં ફેરફાર થાય છે.
પ્રસ્તાવિત નિયમ હેઠળ, ફક્ત એવા રોકાણકારો કે જેઓ મૂળ ઇશ્યુ દરમિયાન રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા પાસેથી સીધા સોવરિન ગોલ્ડ બોન્ડ ખરીદે છે અને પરિપક્વતા સુધી રાખ્યા છે, તેઓ જ સંપૂર્ણ મૂડી લાભ મુક્તિનો આનંદ માણી શકશે. જે લોકો સ્ટોક એક્સચેન્જમાંથી પાછળથી સોવરિન ગોલ્ડ બોન્ડ ખરીદે છે તેઓ ૧ એપ્રિલ, ૨૦૨૬ ના રોજ અથવા તે પછી બોન્ડ રિડીમ કરશે તો તેઓ આ લાભ ગુમાવશે.
