બર્લિનમાં ૪ દિવસના અંધકાર પછી વીજ પુરવઠો બહાલ, બીજા વિશ્વયુદ્ધ પછીની પ્રથમ ઘટના

📅 Published: January 7, 2026 | 📂 Category: Uncategorized

બર્લિન,૭ જાન્યુઆરી,૨૦૨૬,બુધવાર 

જર્મનીની રાજધાની બર્લિનના દક્ષિણ પશ્ચિમ ભાગમાં ૪ દિવસ પછી ખોરવાઇ ગયેલી વીજળી સેવા પૂર્વવત શરુ થઇ છે. ૩ જાન્યુઆરીના રોજ એક પાવર સ્ટેશન પર શંકાસ્પદ વામપંથી કાર્યકર્તાઓ દ્વારા આગ અને નુકસાન કરવામાં આવતા શહેરના ૪૫૦૦૦ ઘરો અને ૨૦૦૦થી વધુ વ્યવસાયિક કોમ્પલેક્ષનો વીજ પુરવઠો ખોરવાઇ ગયો હતો. બીજા વિશ્વયુધ્ધ પછી જર્મનીની રાજધાનીમાં લાંબા સમય સુધી વીજળી ગુલ થવાની પ્રથમ ઘટના છે. બર્લિનના મેયર કાઇ મેગનરે વીજ પુરવઠો શરુ થવા અંગે પ્રતિક્રિયા આપી હતી કે વીજળી અને હિંટિંગ વિના રહેતા લોકો માટે રાહતના સમાચાર છે. વીજ પુરવઠો કાર્યાન્વિત કરવાની શરુઆત ૭ જાન્યુઆરી સવારે ૧૧ વાગ્યાથી શરુઆત થઇ હતી.

Read more


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *