
– કટ્ટરપંથીઓએ ‘છાયા-નૌત’ સાંસ્કૃતિક કેન્દ્ર સળગાવ્યું
– લેખિકા તસ્લીમા નસરીએ આક્રોશ વ્યક્ત કરતાં કહ્યું : ‘કટ્ટરપંથીઓએ ધર્મ નિરપેક્ષતા અને પ્રગતિશીલ વિચારધારાને જાકારો આપ્યો છે’
ઢાકા : અહીંથી આશરે ૧૨૦ કી.મી. દૂર આવેલા ફરીદપુરમાં લોકપ્રિય ગાયક- સંગીતકાર અને બંદીશકાર જેમ્સનો સંગીત કાર્યક્રમ રદ કરવો પડયો હતો. કારણ કે કટ્ટરપંથી ઈસ્લામિસ્ટે કાર્યક્રમ જ્યાં યોજાયો હતો તે નાટયગૃહ છાયા-નૌત તરફ ધસી જઈ ભારે પથ્થરમારો અને ઈંટ મારો કર્યો હતો.
