
– ગુરૂવારે મતદાન અગાઉ કટ્ટરવાદીઓ બેફામ બન્યા, હિન્દુઓ પર હુમલા વધ્યા
– દુકાનમાં ધારદાર હથિયારથી હુમલો, બેફામ લૂટ ચલાવી ગંભીર હાલતમાં છોડી શટર બંધ કરી ભાગી ગયા
– બાંગ્લાદેશમાં હિન્દુઓ પર અત્યાચાર ચિંતાજનક, યુનુસ સરકાર સુરક્ષાના પગલા લે : 15 દેશોની 125 સંસ્થાઓની ચેતવણી
ઢાકા : બાંગ્લાદેશમાં નવી સરકાર રચવા માટે ગુરૂવારે મતદાન થવા જઇ રહ્યું છે, જોકે ચૂંટણી પહેલા જ કટ્ટરવાદીઓ બેફામ બન્યા છે અને ખુલ્લેઆમ હિન્દુઓની હત્યા કરવા લાગ્યા છે. કેટલાક વિસ્તારોમાં હિન્દુઓ વિરોધી હિંસાની ઘટનાઓ સામે આવી રહી છે જ્યારે એક ૬૨ વર્ષીય હિન્દુ વેપારીની હત્યા કરી દેવામાં આવી છે. સાથે જ મૃતકના લાખો બાંગ્લાદેશી રૂપિયા પણ લૂટી લેવામાં આવ્યા.
