
– ઘરે ઘરે પાણીજન્ય બિમારીના ખાટલા મંડાતા લોકોમાં ભય
– ઝાડા-ઉલટીના 31 કેસ નોંધાયા : પાણીના 813 નમૂનામાંથી 158 માં અશુદ્ધિ હોવાનું સામે આવ્યું
બાલાસિનોર : મહિસાગર જિલ્લાના તાલુકા મથક બાલાસિનોરમાં એકાદ મહિનાથી પાણીજન્ય રોગચાળો ફાટી નિકળ્યો છે. જેના પગલે ગણતરીના દિવસોમાં કમળાના ૧૨૬ તથા ઝાડા-ઉલટીના ૩૧ કેસ નોંધાતા આરોગ્ય તંત્રમાં દોડધામ મચી ગઇ છે. પીવા માટે ઉપયોગમાં લેવાતા અશુદ્ધ પાણીના કારણે આ ગંભીર સ્થિતિ પેદા થઇ છે અને ઘરે ઘરે બિમારીના ખાટલા મંડાયા હોય તેવી સ્થિતિ જોવા મળી રહી છે. પાણીના ૧૫ સેમ્પલ પીવાલાયક ન હોવાનો ચોંકાવનારો રિપોર્ટ પણ સામે આવ્યો છે.
