બાલાસિનોર શહેરમાં કમળાના 126 કેસ નોંધાયા, પાણીના 15 સેમ્પલ ફેલ

📅 Published: December 11, 2025 | 📂 Category: Uncategorized

– ઘરે ઘરે પાણીજન્ય બિમારીના ખાટલા મંડાતા લોકોમાં ભય

– ઝાડા-ઉલટીના 31 કેસ નોંધાયા : પાણીના 813 નમૂનામાંથી 158 માં અશુદ્ધિ હોવાનું સામે આવ્યું 

બાલાસિનોર : મહિસાગર જિલ્લાના તાલુકા મથક બાલાસિનોરમાં એકાદ મહિનાથી પાણીજન્ય રોગચાળો ફાટી નિકળ્યો છે. જેના પગલે ગણતરીના દિવસોમાં કમળાના ૧૨૬ તથા ઝાડા-ઉલટીના ૩૧ કેસ નોંધાતા આરોગ્ય તંત્રમાં દોડધામ મચી ગઇ છે. પીવા માટે ઉપયોગમાં લેવાતા અશુદ્ધ પાણીના કારણે આ ગંભીર સ્થિતિ પેદા થઇ છે અને ઘરે ઘરે બિમારીના ખાટલા મંડાયા હોય તેવી સ્થિતિ જોવા મળી રહી છે. પાણીના ૧૫ સેમ્પલ પીવાલાયક ન હોવાનો ચોંકાવનારો રિપોર્ટ પણ સામે આવ્યો છે.

Read more


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *