
Sanjay Raut Rejects Congress Objections on Sena–MNS Unity : બિહાર વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ અને રાષ્ટ્રીય જનતા દળના ગઠબંધનના પરાજય બાદથી જ ઇન્ડિયા ગઠબંધનમાં તિરાડની અટકળો શરુ થઈ ગઈ છે. કોંગ્રેસ સિવાયના પક્ષોમાં ધીમે ધીમે વિરોધના સૂર ઉઠી રહ્યા છે. એવામાં શિવસેના ઉદ્ધવ ઠાકરે જૂથના નેતા સંજય રાઉતે પણ કોંગ્રેસને આંચકો આપ્યો છે. રાજ્યસભા સાંસદ સંજય રાઉતે કહ્યું છે કે જો રાજ ઠાકરેની મહારાષ્ટ્ર નવનિર્માણ સેના અને ઉદ્ધવ ઠાકરેની શિવસેના એક થતી હોય તો કોંગ્રેસ શું વિચારે છે તેનાથી કોઈ ફરક નથી પડતો.
કોંગ્રેસ પર દબાણ બનાવવા રાઉતનો પ્રયાસ?
