
મુંબઈ : રિઅલ એસ્ટેટ ક્ષેત્રને નાણાંકીય ભંડોળ પ્રવાહ વધારવાના ભાગરૂપ રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (આરબીઆઈ)એ રિઅલ એસ્ટેટ ઈન્વેસ્ટમેન્ટ ટ્રસ્ટસ (આરઈઆઈટીસ)ને નાણાં ધિરવા બેન્કોને મંજુરી આપવા દરખાસ્ત રજૂ કરી છે.
આરઈઆઈટીસ એક ઈન્વેસ્ટમેન્ટસ માધ્યમ છે જે આવક ઊભી કરતા રિઅલ એસ્ટેટ ધરાવે છે અથવા તો તેનું સંચાલન કરે છે જે દ્વારા રોકાણકારો રિઅલ એસ્ટેટમાં પ્રોપર્ટીસની સીધી ખરીદી કર્યા વગર ટ્રસ્ટની આવકમાં હિસ્સો મેળવી શકે છે.
સમાપ્ત થયેલા અથવા કાર્યરત રિઅલ એસ્ટેટ અને માળખાકીય પ્રોજેકટસમાંથી બેન્કોના નાણાં છૂટા કરવા ભારતમાં આરઈઆઈટી અને ઈન્ફ્રાસ્ટ્રકચર ઈન્વેસ્ટમેન્ટ ટ્રસ્ટની રચના આવી પડી છે.
