
મુંબઈ : કેલેન્ડર વર્ષ ૨૦૨૫ના અંતે દેશના બેન્કિંગ ક્ષેત્રમાં થાપણથી ધિરાણની માત્રા વધી ૮૧.૭૫ ટકા સાથે અત્યારસુધીની ઊંચી સપાટીએ પહોંચી છે. થાપણની સરખામણીએ ધિરાણ માગમાં વધારો થતાં થાપણ ઊભી કરવા બેન્કો પર દબાણ આવી ગયાનું માનવામાં આવે છે.
થાપણ સામે ધિરાણ પૂરુ પાડવા પર બેન્કો માટે કોઈ નિયમન નથી આમછતાં કોઈપણ અનપેક્ષિત સ્થિતિને પહોંચી વળાય તેટલા પ્રમાણમાં લિક્વિડિટી જાળવી રાખવા આરબીઆઈ બેન્કોને સૂચના આપતી રહે છે.થાપણની સામે ધિરાણના રેશિઓની ગણતરી કરવામાં થાપણો ઉપરાંત સર્ટિફિકેટસ ઓફ ડિપોઝિટસને ધ્યાનમાં લેવામાં આવે છે.
