
મુંબઇ : બેન્કોમાં દાવા વગરની પડી રહેલી થાપણો માટે દાવા કરવા થાપણદારોને પ્રોત્સાહિત કરવા શરૂ કરાયેલી ઝૂંબેશને કારણે ડિસેમ્બરમાં રૂપિયા ૧૦૦૦ કરોડથી વધુની નિષ્ક્રીય થાપણોનું પેઆઉટ શકય બન્યું હતું. જે અગાઉ રૂપિયા ૧૦૦-૨૦૦ કરોડ જેટલું રહેતું હતું.
એક અંદાજ પ્રમાણ વ્યાજ સહિત દાવા વગરની એકંદર રૂપિયા ૮૫૦૦૦ કરોડની થાપણ દેશની બેન્કો પાસે પડી છે.
ગયા વર્ષના ઓકટોબરથી દર મહિને દાવા વગરની પડી રહેલી થાપણ માટેના દાવામાં વધારો થઈ રહ્યો છે.
