
વડોદરાઃ યુજીસીનો વિવાદિત કાયદો, જાતિ- ધર્મ અને કોમવાદના મુદ્દાઓ પર ચર્ચા થાય છે પણ તેનાથી વધારે જરુર દેશની સૌથી મોટી સમસ્યા બેરોજગારી પર ચર્ચા કરવાની છે.આગામી વર્ષોમાં આ જ સૌથી મોટો મુદ્દો હશે તેમ કેન્દ્રમાં શિક્ષણ, કોલસા મંત્રાલયમાં સેક્રેટરી રહી ચૂકેલા અને પાંચ જેટલા પુસ્તકો લખનાર પૂર્વ આઈએએસ ઓફિસર અનિલ સ્વરુપે પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું હતું.
તેમના કહેવા પ્રમાણે સૌથી વધારે રોજગારી એમએસએમઈ એટલે કે નાના અને મધ્યમ ઉદ્યોગો આપે છે.તેમની જ ઉપેક્ષા થઈ રહી છે.આવા ઉદ્યોગો શરુ કરવા માંગતા લોકોને મંજૂરી માટે એક જગ્યાએથી બીજી જગ્યાએ દોડાવાય છે.
