
અંતે ભાજપના નગરસેવકનો અંતરઆત્મા જાગ્યો! : ફોર્મમાં વાંધેદાર તરીકે સરતચૂકથી સહી કરી છે, જે રદ્દ ગણવા પ્રાંત અધિકારીને સોગંદનામા સાથે અરજી આપતાં ચકચાર
જૂનાગઢ, : ભાજપના નગરસેવકે વોર્ડ નંબર 11ના ઘાંચીપટ વિસ્તારના બૂથનાં ફોર્મ નંબર-7 ભરી 300થી વધુ મતદારોના નામ રદ કરવા માટે વાંધા અરજી આપી હતી. અંતે, તેમનો અંતર આત્મા જાગ્યો હોય તેમ પોતે જ સોગંદનામા પર જાહેર કર્યું છે કે તેણે જેટલા ફોર્મ નંબર-7 ફરી આપ્યા છે તે તમામ અરજી સરતચૂકથી થઈ ગઈ છે અને તેની જે સહી છે તે રદ ગણવી. તેમણે પ્રાંત અધિકારી સમક્ષ સોગંદનામાં સાથે આવી રજૂઆત કરતા રાજકારણમાં ભારે ગરમાવો આવી ગયો છે.
