
– બંને દેશોએ દૂતાવાસોમાં સંખ્યા ઘટાડી નાખી છે
– દેશમાં આંતરિક સ્તરે મૂળભૂત વ્યવસ્થા પણ રહી નથી આંતરરાષ્ટ્રીય સ્તરે દેશની પ્રતિષ્ઠા ખતમ થઈ ગઈ છે
નવી દિલ્હી (અજ્ઞાત સ્થળેથી) : બાંગ્લાદેશના પદભ્રષ્ટ વડાપ્રધાન શેખ હસીનાએ ઇ-મેઇલ ઉપર આપેલા ઇન્ટરવ્યુમાં સ્પષ્ટત: કહ્યું હતું કે, બાંગ્લાદેશમાં ગત સપ્તાહથી શરૂ થયેલા વ્યાપક રમખાણોએ બાંગ્લાદેશની પ્રતિષ્ઠાને આંતરરાષ્ટ્રીય સ્તરે ખતમ કરી નાખી છે. ભારત દેશમાં વ્યાપેલી અંધાધૂધી જોઈ રહ્યું છે.
ભારત સાથેના તેના સંબંધો એકદમ તળીએ પહોંચી ગયા છે.
