
પાલિકા દ્વારા સફાઈ ન કરાવાતાં
વરસાદી પાણી ભરાવાથી જામેલા કાદવમાં ઘાસ ખાવા ઉતરતા રખડતા ઢોર
ભુજ: શહેરના ભીડનાકા બહાર આવેલા નાળામાં વરસાદી પાણીનો નિકાલ ન થતાં કાદવ અને કીચડની ગંદકીથી ભરાયેલું પડયું છે તેમાં બાજુમાં આવેલી ઘાસચારા માર્કેટના ઉડતા કે નખાતા ચારાને ખાવા ઉતરતી ગાયોની લાંબા સમયથી કફોડી હાલત થઈ રહી હોવાની આસપાસના વેપારી વર્ગમાંથી ફરિયાદો ઉઠી છે.
નગરરક્ષક દેવતા તરીકે ભુજની સ્થાપના સમયના આવેલા દાંડીવાળા હનુમાનજી મંદિરે દર શનિવારે સાંજે મોટી સંખ્યામાં ભાવિક દર્શનાર્થીઓને આવવા જવામાં ઘાસચારા માર્કેટ આસપાસ રખડતા છોડી દેવાયેલા ઢોરથી જોખમ સતાવે છે.
