
– મૃતદેહ સ્વીકારવાનો પરિવારનો ઇનકાર
– પાળીયાદ પોલીસે ફરિયાદ નોંધી હત્યારાને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યાં
ભાવનગર : બોટાદના તુરખા ગામે રહેતા પરિવાર વાડીએથી કામ પૂર્ણ કરી ઘરે ભોજન કરી રહ્યા હતા તે દરમિયાન આજ ગામના જૂની અદાવતની દાજ રાખી હથિયારો સાથે ધસી આવ્યા હતા.અને પરિવારના સભ્યો પર તીક્ષ્ણ હથિયારો વડે તૂટી પડયા હતા.અને બે મહિલા સહિત ચાર લોકોને ગંભીર હાલતે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા.જ્યાં વૃધ્ધ મહિલાનું મોત નિપજ્યું હતું.
