
રાજકીય પક્ષો અશક્ય હોય તેવા વચનો આપી વિશ્વાસ ગુમાવી રહ્યા છે
લોકોને રોકડા રૂપિયા આપી દેવાથી શિક્ષણ, સ્વાસ્થ્ય અને રોજગારી માટે રોકાણ નથી થતું : આરબીઆઇના પૂર્વ ગવર્નર
નવી દિલ્હી: ચૂંટણી સમયે રાજકીય પક્ષો દ્વારા મતદારોને લલચાવવા માટે નવી નવી મફત સુવિધાઓની જાહેરાતો થતી હોય છે જેને કેટલાક પક્ષો દ્વારા મફતની રેવડી તરીકે પણ ઓળખાવામાં આવે છે. આ મફતની રેવડી મુદ્દે આરબીઆઇના પૂર્વ ગવર્નર દુવ્વુરી સુબ્બારાવે ચેતવણી આપી હતી અને કહ્યું હતું કે મફતખોરીની સંસ્કૃતિ ચૂંટણીમાં જીત તો અપાવી શકે છે પરંતુ તેનાથી રાષ્ટ્ર નિર્માણ શક્ય નથી.
સુબ્બારાવે કહ્યું હતું કે આ મફતની રેવડી જેવા અભિયાન દ્વારા રાજકીય પક્ષો સતત અશક્ય વચનો આપીને એકબીજાથી આગળ નિકળવા પ્રયાસો કરતી હોય છે.
