
Maharashtra BJP and AIMIM Alliance: મહારાષ્ટ્રના રાજકારણમાં એક અત્યંત ચોંકાવનારો રાજકીય ઘટનાક્રમ જોવા મળ્યો છે, જેણે સૌને આશ્ચર્યમાં મૂકી દીધા છે. અહીં અકોલા જિલ્લાની અકોટ નગર પરિષદમાં ભાજપે વિચારધારાને કોરાણે મૂકતાં સત્તા મેળવવા માટે અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી AIMIM સાથે ગઠબંધન કરી લીધું છે. થાણેના અંબરનાથમાં કોંગ્રેસ સાથે હાથ મિલાવ્યા બાદ ભાજપના આ પગલાંથી શિવસેના (ઉદ્ધવ જૂથ)ના નેતા સંજય રાઉતે ભાજપ, કોંગ્રેસ અને AIMIM ત્રણેય પર આકરા પ્રહાર કર્યાં છે. વળી, અંબરનાથમાં કોંગ્રેસ સાથે હાથ મિલાવવાના કારણે એકનાથ શિંદેની શિવસેના પણ ભાજપ પર ગુસ્સે છે.
શું છે અકોટનું રાજકીય ગણિત?
