
ભૂતકાળના અનુભવ અને મેળાની મૂળ પરંપરા સાઈડલાઈન : એજન્સીએ જે જે સૂચનો કર્યાં ત્યાં તે ઈવેન્ટ નક્કી કરવા તંત્ર મજબૂર, સુવિધાને બદલે મેળામાં વધુ દેખાડો છલકશે
જૂનાગઢ, : મહા શિવરાત્રીના મેળાને મુળ રીતે ઉજવવાને બદલે વધુ પડતા દેખાડા કરવાના અભરખામાં કરોડોનું આંધણ થશે બીજી તરફ યાત્રિકોને 10 કિમી ચાલવાની મજબુરી ઉભી કરવામાં આવી રહી છે. પરંપરાગત યોજાતા મેળામાં આ વખતે યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા ઈવેન્ટ મેનેજમેન્ટ એજન્સીઓ રાખવામાં આવી છે. આ એજન્સી દ્વારા કરવામાં આવેલા સુચનોના આધારે ગોઠવણ કરવામાં આવી રહી છે. ઈવેન્ટ એજન્સીએ ભૂતકાળના અનુભવ, મેળાની મુળ પરંપરાને બદલે દેખાડા પર વધુ ફોકસ રાખ્યું હોવાનો સુર ઉઠી રહ્યો છે.
