
PM Shehbaz Sharif On Pakistan Economic Crisis: પાકિસ્તાનની આર્થિક કટોકટી કોઈનાથી છુપાયેલી નથી રહી. દેશ આર્થિક સંકટમાંથી પસાર થઈ રહ્યો છે. દુનિયા જાણે છે કે, આતંકવાદને પ્રોત્સાહન આપનારો આ દેશ અન્ય દેશોના દેવા પર કેટલો નિર્ભર છે. ઈસ્લામાબાદમાં પાકિસ્તાનના ટોપ એક્સપોર્ટર્સનો સંબોધિત કરતા વડા પ્રધાન શાહબાઝ શરીફે સ્વીકાર્યું કે, દેશની વિકટ આર્થિક પરિસ્થિતિના કારણે મારે ફિલ્ડ માર્શલ અસીમ મુનીરને ‘મિત્ર રાષ્ટ્રો’ પાસે ભીખ માગવી પડી. તેમની પાસે ભીખ માગવામાં પણ શરમ આવે છે પરંતુ આર્થિક સંકટ એટલો ગંભીર હતો કે, વારંવાર વિદેશ પ્રવાસો પર જઈને લોન માગવી પડતી હતી.
