
Maharashtra Politics: મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવારે મુંબઈની મતદાર યાદીમાં ડુપ્લિકેશન અંગે દાવો કરીને વિવાદ સર્જ્યો છે. પવારે જણાવ્યું છે કે મુંબઈની મતદાર યાદીમાં બેવડા, ત્રણ ગણા અને ચાર ગણા મતદારોની સંખ્યા લગભગ 11 લાખ જેટલી છે. તેમનું આ નિવેદન BMC ચૂંટણીઓની તૈયારીઓ અને દેશભરમાં ચાલી રહેલી સ્પેશિયલ વોટર રિવિઝન (SIR) કવાયત વચ્ચે આવ્યું છે.
BMC ચૂંટણીઓ પહેલાં ગંભીર આરોપ
અજિત પવારે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP અજિત પવાર જૂથ) અને શિવસેના (શિંદે જૂથ) દ્વારા આયોજિત એક રેલીમાં આ વાત કહી હતી, જ્યાં રાજ્યમાં અનેક સ્થાનિક સંસ્થાઓની ચૂંટણીઓ (2જી ડિસેમ્બરે) નજીક આવી રહી છે.
