
Mumbai Pune Expressway Traffic Jam: મુંબઈ-પૂણે એક્સપ્રેસવે પર મંગળવારે સાંજે બનેલી એક દુર્ઘટનાએ હજારો મુસાફરો માટે કાળઝાળ અનુભવ કરાવ્યો હતો. ખંડાલા ઘાટ સેક્શનમાં બોરઘાટ નજીક પ્રોપિલીન ગેસ ભરેલું એક ટેન્કર પલટી જતાં અંદાજે 32 કલાક સુધી હાઈવે પર વાહનવ્યવહાર ખોરવાયો હતો. આ અકસ્માતને કારણે 20 કિલોમીટર લાંબો ટ્રાફિક જામ સર્જાયો હતો, જેમાં હજારો પરિવારો ખોરાક, પાણી અને શૌચાલય જેવી પ્રાથમિક સુવિધાઓ વગર રસ્તા પર અટવાઈ પડ્યા હતા.
આ ભયાનક જામમાં પૂણેના જાણીતા ઉદ્યોગપતિ ડૉ. સુધીર મહેતા પણ ફસાયા હતા.
