'મેં બાળકોને મારી નાખ્યા, હવે હું પણ મરી જઈશ…', માસૂમોના જીવ લેનારી માતા હોસ્પિટલમાં દાખલ

📅 Published: January 11, 2026 | 📂 Category: Uncategorized


Rajasthan News: રાજસ્થાનના ભીલવાડામાં એક માતાએ પોતાના જ બે બાળકોનું ગળું કાપી કરપીણ હત્યા કરી છે. બાદમાં તેના પતિને ફોન કરી કહ્યું કે, ‘મેં બાળકોને મારી નાખ્યા છે, હું હવે ઝેર ખાઈને મરી રહી છું’, હાલ તે ગંભીર હાલતમાં હોસ્પિટલમાં સારવાર હેઠળ છે, ઘટના આજે 11 જાન્યુઆરીના રોજ સવારે માંડલગઢ પોલીસ સ્ટેશન વિસ્તારના માનપુરા ગામમાં બની હતી. 

વ્હાલસોયા બાળકોનો શું વાંક?

અરે એવી તો કેવી માં કે તેના માસૂમ બાળકોના ગળે ધારદાર હથિયાર ફેરવતા તેનો હાથ ન કાંપ્યો, એવી તો કેવી મજબૂરી કે પોતાના જણેલા બે બાળકોના લોહીથી પોતે રક્તરંજીત થઈ, પ્રાથમિક માહિતી છે કે મહિલા કેન્સરથી પીડિત છે, લાંબા સમયથી સારવાર ચાલી રહી છે જેથી તે કંટાળી ગઈ હતી, તેના લીધે આ પગલું ભર્યું છે. પણ એ બે વ્હાલસોયા બાળકોનો શું વાંક હતો જે હવે દુનિયામાં નથી?

Read more


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *