
– ઇઝરાયેલના ‘તુ-બિશ્વાન’ ના પર્વના દિવસે યોજાયેલા તે કાર્યક્રમમાં ઇઝરાયેલના પર્યાવરણ મંત્રી, ભારતના રાજદૂત વ. મહાનુભાવો ઉપસ્થિત હતા
તેલ-અવિવ : ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘એક પેડ માઁ કે નામ’ નામક સૂત્રને અનુસરી, ઇઝરાયેલના મોશાવા નેવા ટીમ શહેરમાં આજના યહૂદીઓના પર્વ ‘તુ-બિશ્વાન’ના દિવસે ૩૦૦ વૃક્ષો રોપવામાં આવ્યાં હતાં. વાસ્તવમાં આ કાર્યક્રમ ભારતીય દૂતાવાસે આ પર્વ નિમિત્તે યોજ્યો હતો. તેમાં ઇઝરાયલી સંસ્થાઓ કેરેન ક્યેમેન લ ઇઝરાયલ, તથા મોશાવ નેતાલીમે સાથે મળી યોજ્યો હતો. તેનો હેતુ બંને દેશોની પર્યાવરણ જાળવણી માટેની પ્રતિબદ્ધતા દર્શાવવાનો હતો.
