
– નવા પ્રસ્તાવથી ભારતીયોને અસર થવાની શક્યતા
– વિદેશના ડોક્ટરો અને નર્સો માટે પાંચ વર્ષની સમયમર્યાદા જાળવી : બિનકુશળ કામદારો માટે 15 વર્ષની મર્યાદા
– યુકેમાં સેટલ થવુ તે અધિકાર નથી, પરંતુ વિશેષાધિકાર છે : ગૃહપ્રધાન શબાના મહેમૂદ
લંડન : યુકેમાં સરકારે ત્યાં કાયમી ધોરણે વસવાટ માટેની સમયમર્યાદા હાલના પાંચ વર્ષથી વધારી બમણી એટલે કે ૧૦ વર્ષ કરવાનો પ્રસ્તાવ મૂક્યો છે. આમ યુકેમાં કાયમી વસવાટનો અધિકાર પાંચ વર્ષે મળતો હતો તે દસ વર્ષે મળશે. તેના કારણે ખાસ કરીને યુકેમાં રહેતા ભારતીયોને ફટકો પડશે જે ત્યાં ઇન્ડિફિનિટ લીવ ટુ રિમેઇન (આઇએલઆર)માં પાંચ વર્ષ પૂરા કરવાની રાહ જોઈ રહ્યા છે.
