
વડોદરાઃ એમ.એસ.યુનિવર્સિટીને અધ્યાપકોની ૮૨૫ જગ્યાઓ કાયમી ધોરણે ભરવા માટે મંજૂરી મળી ગઈ છે.જોકે રાજ્ય સરકારે ૨૦૨૩માં લાગુ કરેલા ગુજરાત પબ્લિક યુનિવર્સિટી એકટના કારણે યુનિવર્સિટી સત્તાધીશોને અધ્યાપકોની ભરતી કાર્યવાહી શરુ કરતા પહેલા નિયમોમાં બદલાવ કરીને નવો ઓર્ડિનન્સ (વટહુકમ) તૈયાર કરવો પડશે.
યુનિવર્સિટીમાં છેલ્લે ૨૦૧૯માં ભરતી પ્રક્રિયા હાથ ધરાઈ હતી.
