
નોટબુક પરના લખાણ પરથી બનાવ આપઘાતનો હોવાની શકયતા
લાશ નજીકથી કિચન નાઈફ મળી આવી, જેના પોતાના શરીર ઉપર ઘા ઝીંકી જિંદગી ટૂંકાવ્યાની શકયતા
રાજકોટ: ભોમેશ્વર પ્લોટ શેરી નં.૮માં આવેલા બાબજી એવન્યુ બિલ્ડિંગના ચોથા માળે આવેલા ફલેટમાં એકલાં રહેતાં અબ્બાસ યુસુફભાઈ મર્ચન્ટ (ઉ.વ.૪૦)ની આજે બપોરે તેના એપાર્ટમેન્ટના પાંચમાં માળે આવેલા ટેરેસ પરથી કોહવાઈ ગયેલી લોહીલુહાણ હાલતમાં લાશ મળી આવી હતી.
