
Rajkot Crime News: રાજકોટના ભગવતીપરા કોપર ગ્રીનસિટીમાં રહેતી સ્નેહા હિતેષ આસોડિયા (ઉં.વ. 33) નામની પરિણીતાની ઘાતકી હત્યાનો ભેદ પોલીસે ઉકેલી નાખ્યો છે. 23મી નવેમ્બરના રોજ ઘર નજીક અવાવરૂ જગ્યાએથી માથું ફાડી નાખેલી હાલતમાં સ્નેહાનો મૃતદેહ મળ્યો હતો. પોલીસે કરેલી સઘન પૂછપરછમાં હત્યા કરનાર બીજું કોઈ નહીં પણ મૃતકનો પતિ હિતેષ આસોડિયા જ હોવાનું કબૂલ્યું છે. હત્યાનું મૂળ કારણ પતિ-પત્ની વચ્ચે ચાલતો ગંભીર ઘરકંકાસ હતું.
