
France Navy Exposes Pakistan’s Fake Claims : ઓપરેશન સિંદૂરમાં ભારતીય સેનાએ પાકિસ્તાન પર એરસ્ટ્રાઈક કરીને અનેક આતંકવાદીઓને મોતને ઘાટ ઉતાર્યા હતા. જે બાદ બંને દેશો વચ્ચે સૈન્ય સંઘર્ષ પણ ચાલ્યો. પાકિસ્તાનની વાયુસેનાએ ડ્રોન અને મિસાઈલથી ભારત પર હુમલો કરવા પ્રયાસ કર્યા પણ ભારતીય વાયુસેનાએ તે તમામ હુમલા નિષ્ફળ કર્યા. જોકે તે બાદથી જ પાકિસ્તાન દ્વારા પ્રચાર કરવામાં આવી રહ્યો હતો કે તેમની સેનાએ ભારતના રાફેલ લડાકૂ વિમાન તોડી પાડ્યા હતા. જેના પર હવે ફ્રાંસની નૌસેનાએ જવાબ આપ્યો છે.
