
અમદાવાદ : વધતી જતી અસ્થિરતા અને નબળા ભૂતકાળના વળતરે વ્યક્તિગત રોકાણકારોની મનોભાવનાને અસર કરી છે. સ્થાનિક શેરબજારમાં રિટેલ રોકાણકારોનો સીધો હિસ્સો બહુ-વર્ષના નીચલા સ્તરે પહોંચી ગયો છે. જો કે, તેઓએ મ્યુચ્યુઅલ ફંડ દ્વારા પરોક્ષ રીતે ઇક્વિટીમાં તેમની બચતનું રોકાણ કરવાનું ચાલુ રાખ્યું હતું. વ્યક્તિગત સ્તરે સીધા રોકાણના મૂલ્યમાં ઘટાડાનું કારણ સ્મોલ- અને મિડ-કેપ શેરોમાં તીવ્ર ઘટાડો હોવાનું બજારના જાણકાર વર્તુળોએ જણાવ્યું હતું.
પ્રાઇમ ડેટાબેઝના ડેટા અનુસાર, ૩૧ ડિસેમ્બર, ૨૦૨૫ ના રોજ પૂરા થયેલા ક્વાર્ટરમાં નેશનલ સ્ટોક એક્સચેન્જ (એમએસઈ) પર સૂચિબદ્ધ કંપનીઓના કુલ બજાર મૂડીકરણમાં રિટેલ રોકાણકારોનો હિસ્સો ચાર વર્ષના નીચલા સ્તરે ૭.
