
મુંબઈ : ઈન્વેસ્ટમેન્ટ સાધનની પસંદગીમાં પાયાભૂત ફેરબદલથી ભારતના બચતકારોના વધુને વધુ નાણાં ઈક્વિટીસ તરફ વળી રહ્યાનું જોવા મળી રહ્યું છે. દેશના પરિવારો અને વ્યક્તિઓનું ઈક્વિટીસમાં રોકાણ વિક્રમી ઊંચી સપાટીએ પહોંચ્યું હોવાનું સંસદમાં રજૂ થયેલા આર્થિક સર્વેમાં જણાવાયું હતું.
ઈક્વિટી હોલ્ડિંગમાં વ્યક્તિગત રોકાણકારોનો હિસ્સો જે નાણાં વર્ષ ૨૦૧૪માં ૧૧ ટકા હતો તે ૨૦૨૫ના સપ્ટેમ્બરમાં વધી ૧૮.૮૦ ટકા પર પહોંચી ગયો હતો. મૂલ્યની દ્રષ્ટિએ વ્યક્તિગત રોકાણકારોના હોલ્ડિંગનો આંક જે નાણાં વર્ષ ૨૦૧૪માં રૂપિયા ૮ ટ્રિલિયન રહ્યો હતો તે ૨૦૨૫ના સપ્ટેમ્બર સુધીમાં વધી રૂપિયા ૮૪ ટ્રિલિયન પર પહોંચી ગયો છે.
