
Will Rohit and Kohli Play the 2027 World Cup? : સાઉથ આફ્રિકા સામે ભારતીય ક્રિકેટ ટીમનો ઘરઆંગણે જ ટેસ્ટ સીરિઝમાં પરાજય થયો છે. જે બાદ હવે વનડે સીરિઝ શરૂ થવાની છે જેમાં વિરાટ કોહલી અને રોહિત શર્મા પણ રમતા જોવા મળશે. આ બંને ખેલાડીઓને લઈને હજુ પણ તેમના ચાહકો અસમંજસમાં છે કે વર્ષ 2027માં વનડે વર્લ્ડકપ સુધી આ ખેલાડીઓ રમશે કે નહીં? જોકે હવે આ મામલે BCCI મોટો નિર્ણય લે તેવી શક્યતા છે. સાઉથ આફ્રિકા સામેની વનડે સીરિઝ બાદ હેડ કોચ ગૌતમ ગંભીર અને ચીફ સિલેક્ટર અજિત અગરકર રોહિત શર્મા અને વિરાટ કોહલી સાથે બેઠક કરે તેવી શક્યતા છે.

