
– લગ્નની લાલચ આપી સંબંધ બાંધ્યો હોવાની યુવતીની ફરિયાદ
– અમારા વિચારો જુનવાણી લાગી શકે પરંતુ લગ્ન પહેલા કોઈના પર પણ વિશ્વાસ ના કરી શકાય : જસ્ટિસ નાગરત્ના
– સંબંધ સારા હોય કે ખરાબ એ નથી સમજાતું કે લગ્ન પહેલા શારીરિક સંબંધમાં કેમ જોડાઇ જતા હશે : સુપ્રીમ
નવી દિલ્હી : લગ્ન પહેલા સંબંધ બાંધવાને લઇને સુપ્રીમ કોર્ટ દ્વારા મહત્વપૂર્ણ ટિપ્પણી કરવામાં આવી હતી જેની ભારે ચર્ચા થઇ રહી છે. સુપ્રીમના ન્યાયાધીશ બીવી નાગરત્નાની બેંચે કહ્યું હતું કે લગ્ન પહેલા શારીરિક સંબંધ બાંધતા પહેલા સાવધાની રાખવી જોઇએ, કદાચ અમારા વિચારો જુના હોઇ શકે પરંતુ અમે કહેવા માગીએ છીએ કે લગ્ન પહેલા કોઇ પર વિશ્વાસ ના કરવો જોઇએ.
