
જામનગર- લાલપુર ધોરીમાર્ગ પર સણોસરા ગામના પાટીયા પાસે ગઈકાલે મોડી રાત્રે ગોઝારી દુર્ઘટના સર્જાઇ હતી. એક બોલેરોના ટાયરમાં પંચર પડી જતાં તેમાં બેઠેલી ચાર વ્યક્તિઓ નીચે ઉતરીને ટાયર બદલી રહી હતી, જે દરમિયાન પાછળથી પુરપાટ ઝડપે આવી રહેલી અન્ય બોલેરોના ચાલકે ચારેયને કચડી નાખતાં ત્રણના અંતરિયાળ મૃત્યુ નીપજ્યા હતા, જ્યારે એક તરુણ ગંભીર અવસ્થામાં સારવાર હેઠળ છે. આ બનાવને લઈને મૃતકના પરિજનોમાં ભારે ગમગીની ફેલાઇ છે. લાલપુરનું પોલીસ તંત્ર દોડતું થયું છે.
આ ગોઝારા અકસ્માતના બનાવની વિગત એવી છે કે લાલપુર તાલુકાના ખાયડી ગામમાં રહેતા કમલેશભાઈ નારણભાઈ ગાગીયા (ઉંમર વર્ષ 36) શ્રુદીપ દિનેશભાઈ ગોજીયા (ઉ.
