આદિજાતિ વિકાસ વિભાગ દ્વારા “બોર્ડર વિલેજ યોજના” અંતર્ગત સરહદી ગામોના વિદ્યાર્થીઓ માટે ભગવાન બિરસા મુંડા બસ સેવાનો શુભારંભ કરવામાં આવ્યો છે. લુણાવાડા બસ સ્ટેશન ખાતેથી આ નવી બસ સેવાને લીલી ઝંડી આપવામાં આવી હતી. આ બસ સેવાનું ઉદ્ઘાટન જિલ્લા પંચાયત પ્રમુખ બાબુભાઈ પટેલ, ધારાસભ્ય કુબેરભાઈ ડીંડોર અને અગ્રણી દશરથભાઈ સહિતના મહાનુભાવો દ્વારા કરવામાં આવ્યું હતું. આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય સરહદી વિસ્તારોના વિદ્યાર્થીઓને તેમના ઘરેથી શાળા સુધી સરળતાથી પહોંચાડવાનો છે. આનાથી તેમને શિક્ષણ માટે દૂરના સ્થળોએ જવાની મુશ્કેલીમાંથી રાહત મળશે અને તેમનો શૈક્ષણિક વિકાસ વધુ સરળ બનશે. આદિજાતિ વિકાસ વિભાગનું આ પગલું સરહદી વિસ્તારોમાં શિક્ષણને પ્રોત્સાહન આપવા અને વિદ્યાર્થીઓના ભવિષ્યને ઉજ્જવળ બનાવવા માટે મહત્વપૂર્ણ સાબિત થશે.
લુણાવાડામાં ભગવાન બિરસા મુંડા બસ સેવા શરૂ:સરહદી ગામોના વિદ્યાર્થીઓને શાળાએ પહોંચાડવા નવી બસોને લીલી ઝંડી
📅 Published: November 19, 2025 |
📂 Category: Uncategorized
