
Vadodara : વડોદરા શહેરમાં વિકાસના કામોને ધ્યાનમાં રાખી અત્યાર સુધીમાં 20 થી વધુ રસ્તા બંધ કરવામાં આવ્યા છે જેને કારણે ટ્રાફિકની સમસ્યામાં વધારો થયો છે ત્યારે હવે કોર્પોરેશન દ્વારા આઉટ ગ્રોથ વિસ્તારના વિકાસના કામોને ધ્યાનમાં રાખી વધુ બે રસ્તા બંધ કરવાની જાહેરાત કરી છે.
શહેરના લક્ષ્મીપુરા તળાવથી ઉંડેરા ગામ તરફ જવાના રસ્તે આરસીસી સ્ટોર્મ વોટર બનાવવાની કામગીરી કરવાની છે, જ્યારે છાણી તળાવથી ન્યાસા થઈ કેનાલ સુધીના 24 મી.ના રસ્તે કાચો કાચ પાકો કરવાનો છે. જેથી લક્ષ્મીપુરા તરફથી ઊંડેરા ગામ તરફ જવાનો રસ્તો કામગીરી પૂરી ન થાય ત્યાં સુધી આજે, તા.10, ફેબ્રુઆરીથી બંધ રહેશે.
