
હિમાચલ સહિત મનાલીમાં થયેલી બરફ વર્ષાની સીધી અસર વડોદરા પર થઈ છે. તાપમાનનો પારો આજે 19 ડિગ્રી થવા છતાં વહેલી સવારે ઠંડીનો ચમકારો યથાવત રહ્યો છે. આજે સવારથી ધુમ્મસવાળા વાતાવરણને કારણે સુરજદાદાના દર્શન પણ સવારે 11 વાગ્યા સુધી ન હતા. પવનની ગતિના કારણે સવારે ઠંડીનો અહેસાસ થતો હતો.
ઉલ્લેખનીય છે કે, પતંગ ઉત્સવે વાસી ઉતરાયણના દિવસે ઠંડીનો પારો 10 ડિગ્રી થયો હતો.
