
Vadodara Crime News: વડોદરાના તાંદલજા વિસ્તારમાં એક અત્યંત ચોંકાવનારી અને સનસનીખેજ ઘટના સામે આવી છે. પત્નીએ પોતાના મુંબઈ સ્થિત મિત્ર સાથે મળીને પતિનું કાસળ કાઢી નાખ્યું હતું. એટલું જ નહીં, તેણે પતિને સામાન્ય મોતમાં ખપાવીને દફનાવી પણ દીધો હતો. જોકે , ‘પાપ છાપરે ચડીને પોકારે’ તેમ મૃતકના પરિવારને શંકા જતા આખરે 5 દિવસ બાદ કબર ખોદીને મૃતદેહ બહાર કાઢવાની ફરજ પડી હતી.
હત્યાનું સુનિયોજિત ષડયંત્ર
