વડોદરા- ઇન્દોરની સીધી કનેક્ટિવિટીથી મુસાફરીનું અંતર ઘટશે

📅 Published: November 25, 2025 | 📂 Category: Uncategorized

છોટાઉદેપુરથી ધાર સુધીની નવી ૧૫૭ કિલોમીટરની રેલવે લાઈન મધ્યપ્રદેશ અને ગુજરાત બંને રાજ્યોને સીધી રીતે જોડશે. આ મહત્વપૂર્ણ પ્રોજેક્ટથી વડોદરા અને ઇન્દોર જેવા બે મહાનગરો વચ્ચેનું મુસાફરીનું અંતર અને સમય ઘટશે.

રેલવે વિભાગના જનસંપર્ક અધિકારી આજે છોટાઉદેપુરની મુલાકાતે હોઈ તેમણે જણાવ્યું હતું કે, આ નવી લાઈન અલીરાજપુર અને ધાર જેવા આદિવાસી તેમજ ગ્રામ્ય વિસ્તારોને ભારતીય રેલવેના મુખ્ય નેટવર્ક સાથે જોડશે. આથી કૃષિ ઉત્પાદન, કાચા માલ તથા અન્ય સામગ્રીઓના પરિવહનમાં સરળતા સાથે સ્થાનિક ઉદ્યોગો અને વેપારને મજબૂતી મળશે.

Read more


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *