
– શ્રીલંકામાં વાવાઝોડાંએ ૫૬નો ભોગ લીધો
– ભારતે શ્રીલંકાને મદદ કરવા માટે ઓપરેશન સાગરબધુ લોન્ચ કર્યુ
નવી દિલ્હી : શ્રીલંકામાં વાવાઝોડા દિત્વાએ ભયંકર ખાનાખરાબી સર્જી છે. તેના કારણે શ્રીલંકામાં અવિરત વરસાદ, પૂર અને ભૂસ્ખલન જોવા મળી રહ્યું છે. તેના કારણે મરનારાની સંખ્યા ૫૬ પર પહોંચી ગઈ છે અને ૨૧ જણા હજી પણ લાપતા છે. આ વાવાઝોડું દિત્વા ભારત પર હવે ૩૦મી નવેમ્બરના રોજ ત્રાટકશે.
