
9 Lakh Indians Renounced Citizenship : વિદેશના વધતા જતાં મોહમાં છેલ્લા 5 વર્ષમાં 9 લાખ ભારતીયોએ નાગરિકાતા છોડી છે. વિદેશ મંત્રાલયએ ગુરુવારે (11 ડિસેમ્બર) આ જાણકારી આપી હતી. વિદેશી નાગરિકતા અપનાવવા વાળાની આ પ્રવૃત્તિ સતત વધી રહી છે. વિદેશ ગયા પછી 16 હજારથી વધુ લોકોએ ફરિયાદ કરી છે.
રાજ્યસભામાં એક સવાલના જવાબમાં વિદેશ રાજ્ય મંત્રી કિર્તી વર્ધન સિંહે જણાવ્યું હતું કે, સરકાર ભારતીય નાગરિકતા છોડનારા લોકોનો વાર્ષિક રેકોર્ડ રાખે છે.
