
કરમસદથી કેવડિયા કોલોનીની એકતા યાત્રા પૂર્વે
વિદ્યાનગરના શાસ્ત્રી મેદાનમાં વર્ષો જૂના વૃક્ષો કપાયા : પર્યાવરણ પ્રેમીઓમાં રોષ
આણંદ: કરમસદથી કેવડીયા કોલોની સુધીની એકતા યાત્રાનો પ્રારંભ તા. ૨૬મી નવેમ્બરે યોજાનારી એકતા યાત્રા માટે તંત્ર દ્વારા તૈયારીઓ શરૂ કરાઇ છે. જેમાં વિદ્યાનગરમાં ૨૮ સહિત ૧૫૦ વૃક્ષોને કાપવાની સાથે ટ્રિમિગ કરાયા છે. જેના કારણે પ્રર્યાવરણ પ્રેમીઓમાં આક્રોશ ફેલાયો છે.
