
જામનગરના તરૂણ ક્રિકેટરે સાથે રહેલા પ્રેક્ષકોને પોતાના ઈરાદાની જાણ કરતાં તેમણે સમજાવટ કરી છતાં 6 ફૂટ દીવાલ કૂદી મેદાનમાં ઘૂસ્યો
રાજકોટ, : ખંઢેરી સ્ટેડિયમમાં ગઈકાલે ભારત અને ન્યુઝિલેન્ડ વચ્ચે રમાયેલા વન-ડે મેચમાં સુરક્ષા જવાનોની નજર ચૂકવી વિરાટ કોહલીને મળવા મેદાનમાં ઘસી ગયેલા જામનગરના ૧પ વર્ષના ક્રિકેટરની પડધરી પોલીસે પુછપરછ કરી હતી. જેમાં તેણે જણાવ્યું કે વિરાટ કોહલી તેની માટે ભગવાન છે. તેનો એક માત્ર ઉદ્દેશ તેને ટચ કરવાનો હતો. આ જ કારણથી તે મેદાનમાં ઘસી ગયો હતો.
