
– મુસાફરોની વધતી ભીડને ધ્યાનમાં રાખી રેલવેનો નિર્ણય
– 12 સ્ટેશન પર ટ્રેન ઉભી રહેશે, આજથી ટિકિટોની બુકિંગ શરૂ થશે
ભાવનગર : વેરાવળથી બાંદ્રા ટર્મિનસ વચ્ચે આગામી દિવસોમાં સ્પેશિયલ ટ્રેન ચલાવવા પશ્ચિમ રેલવેએ નિર્ણય કર્યો છે. જેને લઈ મુસાફરોને વધુ એક ટ્રેન સુવિધાનો લાભ મળી શકશે.
પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોની વધતી ભીડને ધ્યાનમાં રાખી વેરાવળ-બાંદ્રા-વેરાવળ વચ્ચે સ્પેશિયલ ટ્રેન ચલાવવાનો નિર્ણય કરાયો છે.
