ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા સ્પેશ્યલ એસ.બી.આઈ. બેન્કીંગ પ્રોડકટ–બિઝનેસ રૂલ્સ એન્જિન (બી.આર.ઈ.) પર અવેરનેસ સેશન યોજાયું હતું, જેમાં અતિથિ તરીકે ઉપસ્થિત રહેલા સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાના ડીજીએમ રાજેશ કુમારે સુરતના ઉદ્યોગ સાહસિકો અને વ્યવસાયિકોને લોન વિષે વિસ્તૃત જાણકારી આપી હતી. ચેમ્બરના પ્રમુખ નિખિલ મદ્રાસીએ કહ્યું હતું કે, પરિવર્તનનો સ્વીકાર નહીં કરનાર બજારમાંથી ફેંકાઈ જતા હોય છે. એસબીઆઈ પણ સમય સાથે બદલાઈ છે એટલે જ સર્વસ્વીકૃત બની છે. ચેમ્બરના ઉપ પ્રમુખ અશોક જીરાવાલાએ કહ્યું હતું કે, ટેક્ષ્ટાઇલના એમએસએમઈ ઉદ્યોગ સાહસિકોને લોન માટે અગાઉ ઘણા ધક્કા ખાવા પડતા હતા, પરંતુ હવે 5 કરોડ સુધીની લોન કોલેટરલ વિના મળે છે,
વ્યવસાયિકોને લોન વિશે માહિતી અપાઇ:ચેમ્બર દ્વારા લોન માટે બિઝનેસ રૂલ્સ એન્જિન પર જાગૃતિ સેશન
📅 Published: November 20, 2025 |
📂 Category: Uncategorized
