
Russia vs Ukrain War Updates: યુક્રેન યુદ્ધને લઈને રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિને શનિવારે અત્યંત કડક વલણ અપનાવ્યું હતું. તેમણે સ્પષ્ટપણે કહ્યું કે મોસ્કોને લાગે છે કે કીવ સંઘર્ષને શાંતિપૂર્ણ રીતે ઉકેલવામાં કોઈ ખાસ રસ દાખવી રહ્યું નથી. પુતિને ચેતવણી આપી હતી કે જો કૂટનીતિ નિષ્ફળ રહેશે, તો રશિયા તેના ‘વિશેષ સૈન્ય અભિયાન’ના તમામ ઉદ્દેશ્યોને સૈન્ય તાકાત દ્વારા હાંસલ કરશે.
રશિયન સરકારી સમાચાર એજન્સીના અહેવાલ મુજબ, પુતિને કહ્યું, “જો કીવના અધિકારીઓ આ મામલાને શાંતિપૂર્ણ રીતે ઉકેલવા માંગતા નથી, તો અમે અમારી સામે રાખવામાં આવેલા તમામ કાર્યોને વિશેષ સૈન્ય અભિયાન હેઠળ સૈન્ય માધ્યમોથી પૂરા કરીશું.” પુતિને એ પણ કહ્યું કે જે નેતૃત્વને તેઓ ‘કીવ શાસન’ કહે છે, તે શાંતિ સમજૂતીને લઈને કોઈ ઉતાવળ નથી બતાવી રહ્યું.
