અમદાવાદ, સોમવાર
સાબરમતીથી વટવા સુધીના બુલેટ ટ્રેન પ્રોજેકટનું બાંધકામ ચાલી રહ્યું છે. જેમાં શાહીબાગ અંડરબ્રિજ ખાતે તૈયાર થયેલા બુલેટ ટ્રેનના પિલ્લરો ઉપર સેગમેન્ટ લગાવવાની કામગીરી હાથ ધરવામાં આવશે. જેને લઇને તા.૨૩થી ૨૮ જાન્યુઆરી સુધી શાહીબાગ અંડરબ્રિજ વાહન વ્યવહાર માટે બંધ રહેશે. જેના કારણે અમદાવાદ વાસીઓ માટે ટ્રાફિકને લઇને હાલાકી વધશે.
