
આજે મહાશિવરાત્રીના દિવસે સુરતીઓ શિવમય બની ગયા હતા જેના કારણે શહેર અને જિલ્લાના શિવ મંદિરોમાં વહેલી સવારથી જ ભક્તોનું ઘોડાપુર જોવા મળતું હતું. મોટી સંખ્યામાં મંદિરમાં શિવ ભક્તો ઉમટી પડતા અનેક જગ્યાએ ભક્તોની લાંબી લાઈનો જોવા મળી હતી. સુરતમાં આજે શિવરાત્રીની શ્રધ્ધા અને ઉત્સાહપૂર્વક શિવરાત્રીની ઉજવણી કરવામાં આવી હતી. આ વર્ષે શિવરાત્રી સાથે અનેક મંદિરો દ્વારા શિવ ભક્તિ સાથે સમાજ સેવા નો સંગમ કરી બ્લડ ડોનેશન કેમ્પ અને સર્વ રોગ નિદાન શિબિરનું પણ આયોજન કર્યું હતું.
આજે રવિવાર અને મહાશિવરાત્રીના સંગમના કારણે આજે વહેલી સવારથી જ સુરત શહેર જિલ્લાના શિવ મંદિરોમાં શિવ ભક્તોનું ઘોડાપુર જોવા મળ્યું હતું.
