
Ahmedabad News : અમદાવાદ શહેરની પશ્ચિમે આવેલા શીલજ ગામમાં છેલ્લા 35 વર્ષથી શ્વાન રોટલા કેન્દ્ર ધમધમી રહ્યું છે. જ્યાં પાંચથી સાત બહેનો ભેગી મળીને સવારે આઠ વાગ્યાથી બપોરના એક વાગ્યા સુધી લગભગ 20થી 22 કિલોગ્રામ લોટના રોટલા વિવિધ વિસ્તારના કૂતરાઓ માટે બનાવે છે. જેમાં વિવિધ વિસ્તારોમાંથી અનેક લોકો આવીને રોટલા લઈ જઈને ગાય અને શ્વાનોને ખવડાવીને ધન્યતા અનુભવે છે. શ્વાન રોટલા કેન્દ્રની સેવાની કામગીરીને જોતાં કેટલાંક લોકોએ શ્વાનની સેવા માટે આપેલી જમીન માફિયાઓ ખાઈ ગયા હોવાનું સામે આવ્યું છે.
35 વર્ષથી શ્વાન રોટલા કેન્દ્ર યથાવત
