
ન્યૂયોર્ક,૩૧ ડિસેમ્બર,૨૦૨૫,બુધવાર
શુગર ફ્રી ખોરાકની ફેશન ચાલે છે ખાસ કરીને ડાયેટ ડ્રિન્કસ હોય કે શુગર ફ્રી આઇસ્ક્રિમ એરિથ્રિટોલને વર્ષોથી ખાંડના સુરક્ષિત વિકલ્પ તરીકે જોવામાં આવે છે પરંતુ અમેરિકાના યુનિવર્સિટી ઓફ કોલોરાડો બોલ્ડરના વૈજ્ઞાાનિકો દ્વારા થયેલા એક નવા રિસર્ચમાં જાણવા મળ્યું છે કે એરિથ્રિટોલ નામનો લોકપ્રિય સ્વીટનર દિમાંગની નશોને નુકસાન પહોંચાડે છે. મીઠાશ શરીરમાં પરિવર્તન લાવીને બ્રેઇન સ્ટ્રોકનો ખતરો વધારે છે. ઉલ્લેખનીય છે કે વર્ષ ૨૦૦૧માં અમેરિકી ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન દ્વારા એરિથ્રિકોલને શુગર આલ્કોહોલ તરીકે મંજુરી આપવામાં આવી હતી.
સામાન્ય રીતે મકાઇને ફર્મેટ કરીને બનાવવામાં આવે છે.
