અમદાવાદ, સોમવાર
લોભિયા હોય ત્યાં ધૂતારા ભુખે ના મરે તે કહેવતને સાહિત કરતો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જેમાં નિકોલમાં શેરબજારમાં તગડો નફો કમાવવાની લાલચમાં વેપારીએ રૃા. ૨.૮૮ લાખ ગુમાવ્યા હતા. જેમાં સાયરબર ગઠિયાએ ફેસબુકમાં એપ્લીકેશનની લિંક મોકલી ડાઉનલોડ કરાવી પતિ-પત્નીનું બેન્ક ખાતું ખાલી કરી દીધું હતું. નિકોલ પોલીસે અજાણી વ્યકિત સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
