
– ખાલીસ્તાનીઓ પાક.નાં પંજાબમાં ‘સ્વતંત્ર’ રાષ્ટ્ર કેમ નથી માગતા ?
– ભારતના દબાણને લીધે બ્રિટને ખાલીસ્તાનવાદી જૂથો વિરુદ્ધ ઐતિહાસિક પગલા લેવા શરૂ કરી દીધા છે’
લંડન : વર્ષોથી ઇંગ્લેન્ડમાં ફૂલ્યા-ફાલ્યા રહેલા અલગતાવાદી આતંકી જૂથ ખાલીસ્તાનીઓ ઉપર બ્રિટનની સરકારે ભારતનાં દબાણને લીધે કઠોર પગલા ભરવા શરૂ કરી દીધા છે.
બ્રિટિશ સરકારે ૪થી ડિસેમ્બરે ગુરપ્રીત સિંહ રેહલ નામક એક વ્યક્તિ અને બબ્બર અકાલી લહર નામક સંગઠન પર આતંકવાદ સાથે સંલગ્ન આરોપો નીચે પ્રતિબંધ લગાડી દીધો છે.
